ITIHAAS NA AMARBINDU

કચ્છમાં વરસાદ -વલસાડ જીલ્લા માં વાવાઝોડા સાથે વરસાદ-વડોદરામા વરસાદ, સુરેન્દ્રનગર માં વરસાદ *  

રવિવાર, 29 જાન્યુઆરી, 2023

પાટણના અવશેષો

                        પાટણ       

પ્રાચીન પાટણના અવશેષો માં આજે રાજગઢીના કોટનો થોડોક ભાગ, જે કાલિકા માતાના, તુલનાએ અર્વાચીન, મંદિર ની અડોઅડ હોવાથી સચવાયેલો છે. 'રાણીનો મહેલ' નામથી ઓળખાતો ટેકરો તથા કવિ નરસિંહરાવ ના શબ્દો માં કહીયે તો "રાણીવાવ તણાં આ હાડ " સિવાય કંઈ ખાસ બાકી રહ્યું નથી. સહસ્ત્રલિંગ તળાવ નો એકપણ પથ્થર એ જગ્યા એ ખોદકામ થયું તે પહેલાં દેખાતો નહોતો. સરસ્વતી નદી ના પટમાં આવેલ શેખફરીદની દરગાહ તથા નદી ને ઉત્તર કિનારે આવેલી બાવા હાજી ની દરગાહ કોઈ જૂના હિંદુ કે જૈન મંદિર ના સ્વરૂપનું રુપાંતર હોય એમ જણાય છે. હાલના પાટણની પશ્વિમે કનસડા દરવાજા બહાર આવેલ પીર મુખ્તમશાહની દરગાહ એ મૂળ હેમચંદ્રાચાર્ય નો ઉપાશ્રય હતો એવી સબળ સ્થાનિક અનુશ્રુતિ છે.થોડાક અપવાદ બાદ કરતાં સોલંકી કાળના વિપુલ સ્થાપત્યો ના કોઈ નિશાન આજે સપાટી ઉપર નથી એ આશ્ર્ચર્યજનક છે.
  પણ સદીઓ સુધી પથ્થરની ખાણ તરીકે પાટણનો ઉપયોગ થયો હોય ત્યાં શું બાકી રહે? મિરાતે અહમદી નો કર્તા ઇ.સ.ના અઢારમા શતકની અધવચમા લખે છે કે અમદાવાદ અને બીજા સ્થળોએ બધો પથ્થર પાટણથી લાવવામાં આવ્યો હતો. નવા પાટણનો કોટ, કાલિકા માતાનું વિશાળ મંદિર અને ઇ.સ ના અઢારમા સૈકાના અંતમાં બારોટની વાવ જૂના પાટણના પથ્થરોથી બંધાયેલ છે. કોટ માં પણ કોતરણીવાળી શિલાઓ અને કલામય મૂર્તિઓ અવળી-સવળી ચણાયેલી છે એ એક ગ્લાનિકારક દ્રશ્ય છે. પાટણમાં બહાર નો પથ્થર સાઠેક વર્ષ થી જ આવવો શરૂ થયો એટલે એ પહેલાં ના એનાં મકાનોમાં પણ મોટેભાગે જૂનો પથ્થર વપરાયો છે. એક સમય એવો હતો કે પાટણના પુરાતન અવશેષો અને ખંડેરો માંથી પથ્થર કાઢી જવા માટે ગાયકવાડી રાજ્ય તરફથી દર વર્ષે હજારો આપવામાં આવતા અને ઇજારાપધ્ધતિ બંધ થયા પછી પણ પત્થરો કાઢી જવાનું તો ચાલું જ રહ્યું હતું. મિરાતે અહમદી ના કર્તા એ પાટણની આજુબાજુ માઈલો સુધી પત્થરોના ઢગલા જોયેલા તેમાંનું આજે કંઇ નથી; જોકે માઈલો સુધી ખેતરોમાં જૂના મકાનોના પાયાઓના રોડા નજરે પડે છે. ઇ.સ ૧૮૨૨ આસપાસ કર્નલ ટોડે ભવ્ય તોરણ અને નકશીકામ વાળા દરવાજા જોયા હતા.જેની નોંધ એમણે travels m western India માં કરી છે તે કેટલાયે વર્ષોથી અદ્રશ્ય થયા છે, એટલું જ નહીં, આ અવશેષ ચોક્કસ કયે સ્થાને હતા એનીયે કોઈ ને માહિતી નથી. રાણીની વાવ માં કૂવાને સામે છેડે પથ્થરના સ્થંભ હોવાનું બર્જેસે લખ્યું છે, તે પણ હાલ નથી; જોકે હમણાં ના ઉત્ખનોથી રાણીની વાવ નું કેટલુંક દટાયેલું શિલ્પસૌદર્ય પ્રત્યક્ષ થયું છે. પાટણ એક રેતાળ પ્રદેશમાં આવેલું છે અને એની આસપાસ ક્યાંય પથ્થર ની ખાણ નથી, છતાં જે કાળે ગાડાં સિવાય ભારવાહનના બીજા સાધન નહોતા તે કાળે પથ્થરોનો આ લગભગ અખૂટ જથ્થો ત્યાં ખેંચી લાવવા માટે જે ધર્મ શ્રધ્ધા એ પ્રેરણા આપી હશે અને એની પાછળ જે નિરંતર પ્રયત્ન તેમજ આયાસ ચાલુ રહ્યો હશે તેની કલ્પના જ કરવાની રહે છે.


ટિપ્પણીઓ નથી:

  महिलाओं के लिए मैरून टाफेटा सिल्क लहंगा चोली मूल्य ₹400 महिलाओं के लिए मैरून टाफेटा सिल्क लहंगा चोली  Color:  लाल रंग  Fabric:  तफ़ता सिल्...