ITIHAAS NA AMARBINDU

કચ્છમાં વરસાદ -વલસાડ જીલ્લા માં વાવાઝોડા સાથે વરસાદ-વડોદરામા વરસાદ, સુરેન્દ્રનગર માં વરસાદ *  

રવિવાર, 28 ઑક્ટોબર, 2018

ભાદર ને કાંઠે

આપણે જોઈએ છીએ કે વિશ્વની તમામ સંસ્કૃતિઓના પારણા નદી કાંઠે જ બંધાયા છે ને એના પ્રલય બહુધા નદીઓના પ્રલય પૂરથી અથવા તો અનલઆગથી અથવા ધરતીકંપ થી થયા છે . એ નદીઓ સમગ્ર જીવ જંત માટે હતી . કોઈ એક જૂથ, વર્ગ, કોમ, ગ્નાતિ કે કોઈ બાંધેલા સમાજ માટે એ નથી વહેતી પણ પ્રાણીમાત્રના ભલા માટે વહે છે . એટલાં માટે કહેવાયું છે કે નદીઓમાં જે વહે છે તે પાણીનો પ્રવાહ નથી વહેતો પણ ઇશ્વર ની કરુણા વહે છે . 

    તો આવો આજે ભદ્રા-ભાદરના નદીને જોઇએ. આ ભાદર નદીના કિનારે પણ એવી કૈંક સંસ્કૃતિઓ ઉગીને આથમી છે . 

   સૌરાષ્ટ્રના નકશાને ધારીને જોવામાં આવે તો હથેળીમાં જેમ રેખા પડતી આવે છે તેમ જસદણ પાસેના મદાવાના ડુંગરની બન્ને બાજુથી ભાદર વહેતી આવે છે ને સૌરાષ્ટ્રને ઉતર દક્ષિણ એમ બે ભાગે વહેંચતી સમુદ્ર ને મળે છે . આમાંથી એક ભાદર તે પોરબંદર નજીક નવીબંંદર ના દરિયા ને મળે છે અને બીજી ભાદર તે સુકભાદર ભાલમાં થઇ ને ખંભાતના અખાતને મળે છે તે . 

  લગભગ બધી નદીઓની પ્રાગટ્ય કથાઓ કંઇ ને કંઇ મળી આવે છે . ભદ્રા વિષે એવું કહેવાય છે કે સુર્યને સંગ્ના નામે પત્ની . સંગ્ના -સુર્ય ને બે પુત્રી થઇ એમાંથી મોટી તે તપ્તી-તાપી નદી અને નાની ભદ્રા તે ભાદર. ભદ્રા એટલે કલ્યાણ કરનારી. 

   આ ભદ્રા -ભાદર જસદણ પાસેના મદાવાના ડુંગરથી નીકળી નવીબંદર પાસે અરબી સમુદ્ર ને મળે છે . મદાવાથી દક્ષિણે વહે છે . જસદણ પાસે આવતા તેનો પ્રવાહ પશ્ચિમ તરફ વળે છે . સરધારની ધારોમાંથી નીકળતી કરમળ અને વસાવડી નદીઓને કાંખમાં  લેતી ગોંડલ ઉપરવટ ગોંડલી નદીને પણ ગોદમાં લઇ લે છે . પછી જેતપુર થઇ, મેંગણી તરફથી અાવતી ઉતાવળી, લોધિકામાંથી નિકળતી ફોફળ, ઉપલેટાની મોજ, કોટડા બાવીસીની વેણુ, ફુલજર વગેરેને પોતાના અંગમાં સમાવી લઇ કુતિયાણાના પાદરમાંથી ઘેડમાં થઇને દરિયાને મળે છે . આમ તો ગેલોટી, ચાપરવાડી વગેરે નદીઓ અને અસંખ્ય વોંકળા ભાદરને મળે છે . પરિણામે ભાદર સૌરાષ્ટ્રની સૌથી મોટી અને સૌરાષ્ટ્રની ધોરી નસ સમાન છે . સેંકડો ગામડા ઉપરાંત જસદણ, આટકોટ, જેતલસર, જેતપુર, ધોરાજી , ઉપલેટા અને ગણોદ જેવા ગામો એના કાંઠે વસ્યા છે . 

  જેમ મદાવામાંથી નીકળેલી સુખભાદર ને ભાલ પ્રદેશ મળે છે તેમ ભાદરને ઘેડ પ્રદેશ મળે છે . બંને નદીઓના છેલથી ભાલ અને ઘેડ કસદાર બને છે . ભાલમા ઘઉંનો  મબલખ પાક ઉતરે છે તો ઘેડમાં પણ સારો પાક થાય છે . 

  સૌરાષ્ટ્રની સંસ્ક્રૃતિનુ પ્રભાત ભદ્રવાહિની ભાદરને કાંઠે થયું હોવાનું પુરાતત્વ ખાતાની શોધખોળ થી મળેલ માહિતી થી જાણવા મળે છે . ગોંડલ થી પુર્વમાં ૧૨ માઇલ દુર ભાદરકાંઠે આવેલ રોજડી ગામે પ્રાગૈતિહાસિકના અવશેષો મળી આવ્યા હતાં . તેમા એકલશિંગના ચિત્રો, રમકડા વગેરે હડપ્પીયન સંસ્કૃતિ ના અવશેષો મળી આવ્યા છે . વિરપુર નજીક ખંભાલિડા ગામ પાસેથી વહેતા અને ભાદરને મળતાં ઝરણાંને કાંઠે લગભગ ૧૭૦૦ વર્ષ જૂની પ્રાચીન ગુફાઓ આવેલી હતી . આ ગુફાઓ એક સમયે બૌધ્ધસાધુઓ નો આવાસ હશે. 

   સુખભાદર પણ મદાવેથી નિકળી પોતાનામાં અનેક વોંકળા સંઘરતી ઠેઠ રાણપુર પાસે ગોમા સાથે મળી નાગનેશ, દેવળિયા થાતીક ને રંગપર ગામને પાદર એક ફાંટો પાડતી ધંધુકે પોગી. જેમ રોજડીમાં જેમ પુરાતન અવશેષો મળ્યા તેમ અહીં રંગપુરમાં પણ મળી આવ્યા છે . આગળ જતા ભાલપ્રદેશના પટમાં જાણે પોતાનુ સ્વરુપ ફેલાવતી હોય તેમ ફેલાતી ખંભાતના અખાત ને મળી પોતાની સફર પુરી કરે છે. 

   ભાદર તટે આમ કંઇક સંષ્કૃતિઓના ઉથ્થાન-પતન અને પતન-ઉથાન થયા હશે. કેટલાય પ્રેમી હૈયાઓની પ્રિત પાંગરી હશે.  કંઇક પ્રેમીઓ ના વિરહ ની સાક્ષી બની હશે. !!!!!!!!! . . . . 

ટિપ્પણીઓ નથી:

  महिलाओं के लिए मैरून टाफेटा सिल्क लहंगा चोली मूल्य ₹400 महिलाओं के लिए मैरून टाफेटा सिल्क लहंगा चोली  Color:  लाल रंग  Fabric:  तफ़ता सिल्...