ITIHAAS NA AMARBINDU

કચ્છમાં વરસાદ -વલસાડ જીલ્લા માં વાવાઝોડા સાથે વરસાદ-વડોદરામા વરસાદ, સુરેન્દ્રનગર માં વરસાદ *   Tue Jun 24 2025 20:54:41 GMT+0000 (Coordinated Universal Time)

રવિવાર, 23 સપ્ટેમ્બર, 2018

વિર જગદેવ પરમાર veer jagdev parmar

   ચક્રવર્તિ રાજા ભોજ નો ભત્રીજો, રાજા ઉદયાદિતનો કુંવર જગદેવ પરમાર સૌથી દાનવિર અને પ્રતાપી રાજા થયો. તેણે પરમાર કુળની દેવી ગઢકાલિકાને સાત-સાત વખત મસ્તક અર્પણ કર્યુ અને દરેક વખત આ દાનવિર રાજાને માતાજીએ જીવતદાન આપ્યુ. ધાર(ઉજ્જૈન) મા ગઢકાલિકા મંદિરની પાસે જ રાજા જગદેવ પરમારની સમાધી છે.    संवत् इग्यारह इकांणवे, चैततीज रविवार ।

      सीस कंकाली भट्टनै, जगदेव दियो उतारि ।।

  મહાન દાનવિર જગદેવ પરમારે કંકાલી દેવીને પોતાના શિશનું દાન આપી દીધુ હતું. 

  જગદેવ મહાન પરમાર શાસક ઉદયાદીત્યનો નાનો પુત્ર હતો. પિતાને તેને રાજ સોંપવાની ઇચ્છા હતી પણ મોટા ભાઇ હોય અને પોતે રાજ કરે પાપ લાગે એમ વિચારી રાજનો ત્યાગ કરી ગુલબર્ગ કર્નાટક ચાલ્યો ગયો. ત્યાંના રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાએ ખુબ જ સન્માન આપી પોતાના ભાઇની જેમ રાખ્યો. 

  જગદેવનો બીજો સૌથી મહત્વપુર્ણ દાનનો પ્રસંગ ગુજરાતનો રાજા સોલંકી સિધ્ધરાજ જયસિંહના કાળમાં બનેલો. 

  રાજા ઉદયાદીતને બે રાણીઓ હતી. પહેલી સોલંકીરાણી અને બીજી વાઘેલીરાણી હતી. જગદેવ સોલંકી રાણીના પુત્ર હતા. શરુવાતમાં જગદેવે ગુજરાતના રાજા સોલંકી સિધ્ધરાજના સેનાપતિ તરીકે નોકરી કરી અનેક લડાઇઓ લડી વિજય મેળવ્યો હતો. 

   ત્યાંથી કલ્યાણીના સોલંકી વિક્રમ છઠ્ઠાના(ઈ. સ. ૧૦૭૬-૧૧૨૬) સેનાપતિ તરીકે રહી વિદર્ભદેશની સત્તા સભાળી. રાજા જગદેવ પરમારે પોતાની બુધ્ધિ, પરાક્રમ અને શક્તિથી આંધ્ર, દ્વારસમુદ્ર, અને આબુની અાજુબાજુના પ્રદેશો જીતી લીધા. એ સિવાય કર્ણાટકનો કિંગવરણ, આંધ્રના રાજા, ચિત્રકોટ, બસ્તર અને દ્વારસમુદ્રનો રાજા હોયસાલ ને પરાજીત કર્યા હતા. 

  ૧૧૨૬ ઈ. સ. માં કલ્યાણીનો રાજા સોલંકી વિક્રમાદિત્યના ૬ ના મૃત્યુ પછી સ્વતંત્ર રાજા બની પરમાર વંશની સ્થાપના કરી. ગઢ ચાંદુર(હાલનું રાજુરા તાલુકો, ચંદ્રપુર જીલ્લો મહારાષ્ટ્ર)ને પોતાની રાજધાની બનાવી. તેની સત્તા બુલઢાણા, અકોલા, અમરાવતી, ભંડારા, નાગપુર, વર્ધા, ગોંદિયા, બાલાઘાટ, સિવની, છિંદવાડા, બૈતુલથી લઇ માળવા સુધી હતી. 

  રાજા જગદેવે સાત પ્રકારના સોનાના સિક્કા ચલણમાં મુક્યા હતાં. 

  જગદેવ પરમારનું મૃત્યુ ઇ. સ. ૧૧૫૧ની આસપાસ માનવામા આવે છે. તેમના મૃત્યુ પછી તેમના વંશજોએ બારમી સદીના મધ્ય સુધી રાજ્ય કર્યુ પણ તે તેટલા લોકપ્રિય નથી. ત્યાર પછીના રતનપુરના ગોંડ રાજાઓએ વિદર્ભ ઉપર કબજો લઇ લીધો. 

        

2 ટિપ્પણીઓ:

Parmar rajput gujrat કહ્યું...

ધારગઢ ઉજૈણી થી નીકળ્યા રાજા વીર વિક્રમ સાખે રાજપુત પરમાર ના કુળ ના છીએ ગૌત્ર વશીસ્ઠ પારાશર ગૌત્ર કુળ દેવી માતા હરસીધ ભવાની પ્રસન્ણ દેવી માંતા મહાકાળી થડા માં વીર વૈતાળ પુજાય તલવાર ની ધાર કેળ નું પુજન થાય ત્રીપરવર વંશ યજુર વેદ અસલ ગઢ આંબુ ગઢ અર્બુદ ગઢ ત્યાંથી ઉજૈણ તથા ધારગઢ ત્યાંથી નીકળ્યા ગઢ પાટણ આવ્યા પાટણ માં સોલંકી સીધરાજ ના રાજમાં કાળ ભૈરવ આવતો તેનું દુઃખ ભાગ્યુ ને જગદેવ પરમારે મસ્તક ના દાંન કયુ તોથી નીકળી ને ગઢ મુળી વસ્યા મુળી ગઢ ના પરમાર એક વંશ તાંથી નીકળી ને ગઢ પાવાગઢ વસ્યા ને મુસલમાંન ને પાવાગઢ ભાગ્યો ચૌહાણ પતઈ રાજા ના રાજ માં તે દાડે નર્મદા તટે આવી વસ્યાને આદિવાસી ના ઘરનું પાંણી પીધું ને તડંવી સાખે પડી આગમ જમાના માં આદિવાસી , તડવી, વળવી,કઠારીયા,તેતરીયા,ધાંણકા નાંમના આદિવાસી નું પાંણી પીધું ને માટે તડંવી પરમાર સાખે પડી અસલ સાખે રાજપુત પરમાર કુળ ઉચા માં ઉચું કુળ છે
સાખા , તડવી પરમાર
, બારોટજી ભીખાભાઈ એલ
મુળી ગઢ ના પરમાર

ઇતિહાસ નું અમરબિંદુ કહ્યું...

વાહ, સરસ.

  महिलाओं के लिए मैरून टाफेटा सिल्क लहंगा चोली मूल्य ₹400 महिलाओं के लिए मैरून टाफेटा सिल्क लहंगा चोली  Color:  लाल रंग  Fabric:  तफ़ता सिल्...