પ્રારંભમાં બધા એક જ વર્ણના હતા.
* आदौ कृतयुगे वर्णो नृणां हंस इति स्मृत:
कृतकृत्या: प्रजा जात्या तस्मात् कृतयुगं विदु:॥१०॥ (શ્રીમદ ભાગવત 11.17.10)
અર્થાત- ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું - પ્રારંભમાં, સત્યયુગમાં, કેવળ એક સામાજિક વર્ગ હતો, એક જ વર્ણ હતો, જે હંસ વર્ણ કહેવામાં આવતો. જે બધાં મનુષ્યોને લાગું પડે છે.તે યુગમાં બધા લોકો ભગવાનના વિશિષ્ટ ભક્તો હતા, અને આ રીતે વિદ્વાનો આ પ્રથમ યુગને કૃતયુગ કહે છે, અથવા તે યુગ કે જેમાં તમામ ધાર્મિક કર્તવ્યો સંપૂર્ણ રીતે પૂરા થાય છે.
* एक एव पुरा वेद: प्रणव: सर्ववाङ्मय: ।
देवो नारायणो नान्य एकोऽग्निर्वर्ण एव च ॥ (શ્રીમદ ભાગવત -9: 14: 48)
એટલે કે, "પહેલા સર્વ વાંગ્મય પ્રણવ (ઓમકાર) જ એકમાત્ર વેદ હતો. એકમાત્ર દેવતા સર્વવ્યાપી નારાયણ હતા , બીજું કોઈ નહીં. એકમાત્ર લૌકિક અગ્નિ જ અગ્નિ હતો અને એક માત્ર હંસ જ એક વર્ણ હતો._
_________________________________
એક હંસ વર્ણથી ચાર વર્ણો માં કર્મ પ્રમાણે વિભાજન
*न विशेषोऽस्ति वर्णानां सर्वं ब्राह्ममिदंजगत्।
ब्रह्मणा पूर्वसृष्टं हि कर्मभिर्वर्णतां गतम्॥*
(મહાભારત - શાંતિ પર્વ 188.10)
અર્થાત- સર્વ મનુષ્ય-જગત એક બ્રહ્મનું સંતાન છે. વર્ણો માં કોઈ ભેદ નથી. બ્રહ્મા દ્વારા રચેલ સર્વ સંસાર પહેલાં પૂર્ણતહ: બ્રાહ્મણ હતો. તે મનુષ્યોના કર્મો પ્રમાણે વર્ણોમાં વહેંચાયો.
* विप्रक्षत्रियविट्शूद्रा मुखबाहूरुपादजा: ।
वैराजात् पुरुषाज्जाता य आत्माचारलक्षणा: ॥ १३ ॥ (શ્રીમદ ભાગવત -11.17.13)
અર્થાત- શ્રી કૃષ્ણે કહ્યું - બ્રાહ્મણનામના વર્ણનુ મુખમંડલના ગુણોના આધારે, પ્રથમ વર્ણનું નામ 'બ્રાહ્મણ વર્ણ' રાખવામાં આવ્યું, ભુજા 'ક્ષત્રિય વર્ણ' ને બનાવી એટલે કે ભુજાઓના ગુણો પ્રમાણે, 'રાજન્યા = ક્ષત્રિય વર્ણ' નામ રાખવામાં આવ્યું . જે 'વૈશ્ય વર્ણ' છે તે તેના મધ્ય ભાગ કે જંઘા રૂપ કહેવાય છે અર્થાત, પેટ વગેરેના ગુણો અનુસાર, 'વૈશ્ય વર્ણ' નામ આપવામાં આવ્યું . શુદ્રવર્ણની પગ સાથે તુલના કરી છે કારણ કે પગ જ ન હોય તો ? પગ વગરનો માણસ શું કરી શકે ? આખાં શરીરનો આધાર પગ છે, વર્ણવ્યવસ્થાનો આધાર છે. દરેક સામાજિક વિભાગોને તેના વિશેષ કર્તવ્યો , વર્તન અને લક્ષણો અનુસાર ઓળખવામાં આવ્યા.
ભગવદ ગીતા પણ તેની પુષ્ટિ આપે છે કે હંસ નામના વર્ણમાંથી નીકળેલા ચાર વર્ણને તેમના ગુણો અને કર્મો અનુસાર વહેંચવામાં આવ્યા હતા.
*ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परंतप।
कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः।।
(શ્રીમદ ભગવદ ગીતા 18.41)
અર્થાત, હે પરંતપ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના કર્મો સ્વભાવમાં થી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે.
*चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागश: ।
तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ।।13 (શ્રીમદ ભગવદ ગીતા 4:13)
અર્થાત- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણોનો સમુહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારાં દ્વારા સર્જાયેલો છે. આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મનો કર્તા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ.
============================
ચારેય વર્ણના કર્તવ્યો
शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च।
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम्।।(શ્રીમદ ભગવદ ગીતા -18: 42)
અર્થાત- અન્ય:કર્મનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયો નું દમન કરવું, ધર્મનાં પાલન કાજે કષ્ટ સહેવું , બાહ્ય-ભીતરથી શુધ્ધ રહેવું, બીજાનાં અપરાધોને ક્ષમા આપવી, મન, ઇન્દ્રિય તેમજ શરીરને ઋજુ સ્વભાવના રાખવા,વેદો,શાસ્ત્રો, ઇશ્ર્વર અને પરલોક આદિમાં શ્રધ્ધા રાખવી,વેદ-શાસ્ત્રોનુ અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું - આ બધાંય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે.
*शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम्।
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम्।।
(શ્રીમદ ભગવદ ગીતા -18: 43)
અર્થાત- શૂરવીરતા, તેજ,ધૈર્ય, નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું, દાન આપવું અને સ્વામિભાવ (નિઃસ્વાર્થભાવે સૌનું હિત વિચારીને શાસ્ત્રની આજ્ઞા અનુસાર શાસન દ્વારા પ્રેમાળભાવે પુત્રની જેમ પ્રજાનું પાલન કરવાનો ભાવ) - આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે.
*कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम्।
परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम्।।(શ્રીમદભગવદગીતા-18:44)
અર્થાત - ખેતી, ગોપાલન અને ખરીદવા-વેચવારૂપી સત્ય વહેવાર(વસ્તુઓને ખરીદતી કે વેચતી વખતે તોલ,માપ કે ગણતરી કરતાં ઓછું આપવું અથવા વધારે લેવું,તેમજ વસ્તુને બદલીને કે એક વસ્તુમાં બીજી (ખરાબ)) વસ્તુ ભેળવીને આપી દેવી અથવા સારી લઇ લેવી,તથા નફો,આવડત અને દલાલી નક્કી કરી એના કરતાં વધુ કિમત લેવી કે ઓછી આપવી તથા જૂઠ,કપટ, ચોરી અને બળજબરીથી કે બીજા કોઈ પણ પ્રકારે બીજા નો હક છીનવી લેવો ઇત્યાદિ દોષો વિનાનો જે સત્યતા પૂર્વક પવિત્ર વસ્તુઓ નો વેપાર , એનું નામ 'સત્યવેપાર' છે) આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે તથા સર્વ વર્ણોની પરિચર્યા, એટલે કે નોકરી (સેવા)કરવી એ શુદ્ર નું સ્વાભાવિક કર્મ છે.
---------------------------------------------------
બ્રાહ્મણનું શરીર શેના માટે છે?
* ब्राह्मणस्य हि देहोऽयं क्षुद्रकामाय नेष्यते
कृच्छ्राय तपसे चेह प्रेत्यानन्तसुखाय च ॥
(શ્રીમદ ભાગવત -11: 17: 42)
અર્થાત- બ્રાહ્મણનું શરીર ક્ષુદ્ર કર્મો માટે નથી. એતો જીવનમાં તીવ્ર તપસ્યા માટે એટલે કે શરીર કૃશતા પામે ત્યાં સુધી સાચા આનંદની પ્રાપ્તિ માટે છે.
---------------------------------------------------
ભવિષ્ય પુરાણ પણ આ જ વિચાર ધરાવે છે.
* तत्वदर्शन सम्पन्नः समिधशिस्तितः ।
सत्यब्रह्मविदः शान्तः सर्वशास्त्रेषु निष्ठितः (ભવિષ્પુયરાણ: બ્રહ્મપર્વ - 33 શ્લોક 2,6)
અર્થાત, જે તત્વદર્શી સમાધિ-સંપન્ન છે , જે બ્રહ્મ ને જાણે છે અને તમામ શાસ્ત્રોમાં નિષ્ઠા ધરાવતો હોય તે બ્રાહ્મણ છે.
*यत्र वा तत्र वा वर्ण उत्तमाधममध्यमाः ।
निवृत्तः पापकर्मेम्यों ब्राह्मण: स विधीयते
शूद्रीषपि शीलसम्पन्नह ब्राह्मणादधिको भवेत् । ब्राह्मण विगताचार: शृद्राद्धीनतरों भवेत् (ભવિષ્યપુરાણ:બ્રહ્મપર્વ- 44શ્લોક 30-31)
તદુપરાંત, જે કોઈપણ ઉત્તમ, મધ્યમ કે અધમ વર્ણ નો મનુષ્ય, તે કોઈ પણ જાતનું પાપ કર્મ ન કરે, તે બ્રાહ્મણ છે. કારણ કે એક સારો શીલસંપન્ન શુદ્ર , બ્રાહ્મણ કરતાં ઉત્તમ છે અને આચાર ભ્રષ્ટ બ્રાહ્મણ શૂદ્ર કરતાં પણ હીન ગણાય છે.
यद्येका स्फुटमेव: जातिरपरा कृत्यात्परं भेदिनी
यद्वा व्याहृतिरिकतामधिगता यच्चान्यधर्म ययो
(ભવિષ્ય પુરાણ: બ્રહ્મપર્વ - 44 શ્લોક 33)
અર્થાત, માનવ જાતિ એક જ છે, પરંતુ વર્ણ જુદા જુદા કર્મો દ્વારા બનાવવામાં આવ્યા છે, તેથી વ્યવહારમાં માનવ જાતિ એક છે, કેવળ કર્મોમાં ભિન્નતા છે.
*सामग्रय़नुष्ठनगणौः समग्रः शूद्रायतः सन्ति समाद्विजानाम्।
तन्माद्विशेषो द्विज शूद्रनाम्नोनाध्यात्मिको बाह्य निमित्त को वा ॥
(ભવિષ્ય પુરાણ: બ્રહ્મપર્વ - 41-29)
અર્થાત, કારણ કે સમ્માનિય શુદ્ર અને સમ્માનિય બ્રાહ્મણ બંને સામગ્રી, અનુષ્ઠાનમાં સમાન જ છે, તેથી બ્રાહ્મણ અને શૂદ્ર વચ્ચે કોઈ બાહ્ય અથવા આધ્યાત્મિક ભેદ નથી.
============================
ભક્તની જાત-પાત ન પૂછો.
* अहो बत श्वपचोऽतो गरीयान्य ज्जिह्वाग्रे वर्तते नाम तुभ्यम् ।
तेपुस्तपस्ते जुहुवु: सस्नुरार्या ब्रह्मानूचुर्नाम गृणन्ति ये ते॥७॥(શ્રીમદ્ભાગવતમ 3:33:7)
અલબત્ત - 'અહો! એ ચંડાલ પણ શ્રેષ્ઠ છે, જેની જીભ ના અગ્રભાગમાં આપનું નામ બીરાજે છે. જે મહાપુરુષો તમારા નામનો ઉચ્ચાર કરે છે તેઓએ તપ, હવન, તીર્થસ્નાન, સદાચાર નું પાલન અને વેદોનો અભ્યાસ કરી લીધો.
*विप्राद् द्विषड्गुणयुतादरविन्दनाभ पादारविन्दविमुखात् श्वपचं वरिष्ठम् ।
मन्ये तदर्पितमनोवचनेहितार्थ प्राणं पुनाति स कुलं न तु भूरिमान: ॥ १० ॥ *
(શ્રીમદ ભાગવત -7.9.10)
એટલે કે, જે બ્રાહ્મણ તમામ બાર ગુણો ધરાવે છે [સનત-સુજાતા પુસ્તકમાં જણાવ્યા મુજબ] પણ તે ભગવાનનો ભક્ત નથી અને ભગવાનના ચરણકમળથી વિમુખ છે, તેનાં કરતાં નિશ્ચિતપણે ચાંડાલ શ્રેષ્ઠ છે જેણે - મન, વાણી, કાર્મ, ધન અને જીવન - બધું સર્વોચ્ચ ભગવાનને સમર્પિત કર્યુ છે. એવો ભક્ત એવા બ્રાહ્મણ કરતાં વધુ શ્રેષ્ઠ છે , કારણ કે ભક્ત તેના આખા કુટુંબને શુદ્ધ કરી શકે છે, જ્યારે કહેવાતા બ્રાહ્મણ જે ખોટી પ્રતિષ્ઠા અને ખાનદાનીનું અભિમાન ધરાવે છે તે પોતાને પણ શુદ્ધ કરી શકતા નથી.
* अपार्थकं प्रभाषन्तः शूद्रा भागवता इति।
न शूद्रा भगवद्भक्ता विप्रा भागवताः स्मृताः।।
(મહાભારત અશ્વમેધિક પર્વ 118: 32)
એટલે કે, જો ભગવાનનો ભક્ત શૂદ્ર છે, તો તે શૂદ્ર નથી, પણ તે પરમશ્રેષ્ઠ બ્રાહ્મણ છે. હકીકતમાં, બધા વર્ણોમાં શુદ્ર તે છે જે ભગવાનની ભક્તિથી રહિત છે. '
---------------------------------------------------
ભેદભાવ વગર, દયાળુ રહેવું એજ માનવતા
*तप्यन्ते लोकतापेन साधवः प्रायशो जनाः
परमाराधनं तद्धि पुरुषस्याखिलात्मनः ॥४४॥ (શ્રીમદ ભાગવત -8.7.44)
અર્થાત સજ્જન પુરુષ બીજાને દુખી જોઈને પોતે દુઃખી થાય છે. આ સંસારના તમામ પ્રાણીઓની સેવા જ તેમની અંતિમ આરાધના છે.
* विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि।
शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः।। (શ્રીમદ ભગવદ ગીતા - 5:18)
એવા જ્ઞાની જનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય,હાથી,કૂતરા અને ચાંડાલમાયે સમાન દ્રષ્ટિવાળા જ હોય છે.
*अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च।
निर्ममो निरहंकार: समदु:खसुख: क्षमी ॥
संतुष्ट: सततं योगी यतात्मा दृढ़निश्चय: ।
मय्यार्पितमनोबुद्धिर्यो मद्भक्त: स मे प्रिय:॥(શ્રીમદ ભગવદ ગીતા -12: 13-14)
એટલે કે, જે સર્વ ભૂતોમા દ્રેષભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌ પર પ્રેમ રાખનાર અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખદુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે , એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન- ઇન્દ્રિયો સહિત શરીર ને વશમાં કરી રાખેલ છે અને મારામા દ્રઢ નિશ્ચયવાળો છે - એ મારામાં અર્પેલ મન-બુધ્ધિવાળો મારો ભકત મને પ્રિય છે.
---------------------------------------------------
પરમેશ્વર દરેક જીવોમાં છે
* यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन
न तदस्ति विना यत्स्यान्मया भूतंचराचरम्
(શ્રીમદ ભગવદ ગીતા 10:39)
અર્થાત્, હે અર્જુન! હું સમસ્ત ભૂતો(જીવો)ની ઉત્પત્તિનું કારણ છે, એ પણ હું જ છું; કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી, જે મારા વિનાનું હોય.
* अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थित:
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च
(શ્રીમદ ભગવદ ગીતા 10:20)
અર્થ - હે નિદ્રાને જીતનારા અર્જુન, હું તમામ જીવોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું. તથા સર્વ જીવોનો આરંભ, મધ્ય અને અંત પણ હું જ છું.
============================
વૈષ્ણવધર્મ અને વર્ણ પરિવર્તન
તમામ પવિત્ર હિન્દુ શાસ્ત્ર વર્ણ પરિવર્તનને સંપૂર્ણ સમર્થન કરે છે. આલવાર, ગૌડીયા અને રામાનંદી જેવા વૈષ્ણવ (રામાનુજ સિવાય) સંપૂર્ણપણે સંમત છે કે વર્ણ બદલી શકાય છે.
*यस्य यल्लक्षणं प्रोक्तं पुंसो वर्णाभिव्यञ्जकम्
यदन्यत्रापि दृश्येत तत्तेनैव विनिर्दिशेत् ॥ ३५ (શ્રીમદ ભાગવત -7.11.35)
એટલે કે, નારદે કહ્યું કે જો કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શુદ્ર હોવાના લક્ષણ દેખાય, વર્ણવ્યા પ્રમાણે, ભલે તે અલગ વર્ગમાં દેખાય, પણ તે વર્ગીકરણના તે લક્ષણ અનુસાર સ્વીકારવામાં આવે.
ઉદાહરણ:-
धृष्टाद् धार्ष्टमभूत् क्षत्रं ब्रह्मभूयं गतं क्षितौ|
नृगस्य वंश: सुमतिर्भूतज्योतिस्ततो वसु: ॥ १७ ॥* (શ્રીમદ ભાગવત - 9.2.17)
એટલે કે, મનુનો પુત્ર ધૃષ્ટથી ધાર્ષ્ટ થયો તે જન્મે ક્ષત્રિય હતો , બાદમાં તેણે બ્રાહ્મણ પદ મેળવ્યું હતું. નૃગ થી સુમતિ ઉત્પન્ન થઈ સુમતિ થી ભૂતજ્યોતિ અને ભૂતજ્યોતિથી વસુનો જન્મ થયો.
नाभागो दिष्टपुत्रोऽन्य: कर्मणा वैश्यतां गत: ।भलन्दन: सुतस्तस्य वत्सप्रीतिर्भलन्दनात् ॥ २३ ॥ (શ્રીમદ્ ભાગવતમ - 9.2.23)
એટલે કે, દિષ્ટનો પુત્ર નાભાગ હતો, તે પોતાના કર્મોથી વૈશ્ય બન્યો, તેનો પુત્ર ભલંદન થયો અને તેનો પુત્ર વત્સપ્રિતી થયો.
*यवीयांस एकाशीतिर्जायन्तेया: पितुरादेशकरा महाशालीना
महाश्रोत्रिया यज्ञशीला: कर्मविशुद्धा ब्राह्मणा बभूवु: ॥ १३ ॥ (શ્રીમદ ભાગવત - 5.4.13)
એટલે કે, રાજા ઋષભદેવ અને જયંતિના 81 પુત્રો, તેમના પિતાના આદેશ અનુસાર, તેઓએ વૈદિક અનુષ્ઠાનો કર્યા અને વેદનો અભ્યાસ કર્યો. એ પ્રકારે તે બધા પૂર્ણતઃ બ્રાહ્મણ બન્યા.
*विप्राद् द्विषड्गुणयुतादरविन्दनाभ पादारविन्दविमुखात् श्वपचं वरिष्ठम् ।
मन्ये तदर्पितमनोवचनेहितार्थ प्राणं पुनाति स कुलं न तु भूरिमान: ॥ १० ॥ *
(શ્રીમદ ભાગવત -7.9.10
એટલે કે, ગુરૂની ગાયને મારવાને કારણે મનુનો પૃષધ્ન નામનો પુત્ર ગુરૂની ગાય મારવાં ના કારણે ક્ષત્રિય માંથી શૂદ્ર થઈ ગયો.
*एते क्षत्रप्रसूता वै पुनश्चाड्रिरसा: स्मृता:।
रथीतराणां प्रवरा: क्षत्रोपेता द्विजातय: ॥ १०॥ (વિષ્ણુ પુરાણ 4.2.10)
એટલે કે, રથીતરના વંશજો, ક્ષત્રિયના સંતાનો હોવા છતાં, આંગિરસ કહેવાય છે; એટલે તેઓ ક્ષત્રપેત બ્રાહ્મણ થયા.
* गृत्समदस्य शौनकश्चातुर्वर्ण्यप्रवर्तयिताभूत्॥
(વિષ્ણુ પુરાણ 4.8.6)
એટલે કે, ક્ષત્રિય ગૃત્તસમદનો પુત્ર શૌનક ચાતુર્વર્ણ્યનો પ્રવર્તક બ્રાહ્મણ બન્યો.
*पुत्रोगृत्समद्स्यापि शुनको यस्य शौनकाः।
ब्राह्मणः क्षत्रियाश्चैव वैश्याः शूद्रास्तथैवच॥ (હરિવંશ પુરાણ - 1. 29. 8)
એટલે કે, ગૃત્સમદનો પુત્ર શુનક થયો, જેના થી શૌનક-વંશનો વિસ્તાર થયો. શૌનક વંશમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર જેવા બધાં વર્ણનાં લોકો થયાં.
ઐતિહાસિક ઉદાહરણ -
*ભક્ત નમલવર: આલવર વૈષ્ણવ સંતોમાં સૌથી મુખ્ય છે, તે શૂદ્ર માતા-પિતાના પુત્ર હતાં. તેમનો જન્મ ઇ.પૂ.3059 માં અલવાર થિરુના ગીરી (કુરુગુર) માં થયો હતો. નમલવરને બાર અલવરોની શ્રેણીમાં પાંચમા ગણવામાં આવે છે. તેમને વૈષ્ણવ પરંપરાના મહાન રહસ્યવાદી માનવામાં આવે છે. તેમને બાર અલવરમાં સૌથી મહાન પણ માનવામાં આવે છે અને નલયિર દિવ્ય પ્રબંધમાં તેમનું યોગદાન 4000 શ્લોકોમાંથી 1352 શ્લોકો માં છે. નમલવરે ચાર ગ્રંથોની રચના કરી છે. તેઓ નીચે મુજબ છે -
તિરુવિરુત્તમ (ઋગ્વેદ સમાન)
તિરુવાસિરિયમ (યજુર વેદ સમાન)
પેરિય તિરુવંદાદી (અથર્વવેદ સમાન)
તિરુવાય્મોળી (સામ વેદ સમાન)
તેમને "વેદમ તમિલ સેય્દ મારન" નામથી પણ સંબોધવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે તમિલ પ્રબંધમાં સંસ્કૃત વેદનો અર્થ મારન છે. અન્ય અલવર્સના પ્રભાબંધોને વેદના ભાગો (જેમ કે શિક્ષણ, વ્યાકરણ, વગેરે) અને તિરુવૈમોલીને 4000 દિવ્ય પશુરોનો સાર-સંગ્રહ માનવામાં આવે છે.
---------------------------------------------------
કલિયુગમાં વર્ણવ્યવણસ્થાની દુર્ગતિ
શુકદેવજીએ શ્રીમદ્ ભાગવતમાં કળિયુગમાં જે બનશે તે વિશે કહ્યું છે -
*दाम्पत्येऽभिरुचिर्हेतुर्मायैव व्यावहारिके ।
स्त्रीत्वे पुंस्त्वे च हि रतिर्विप्रत्वे सूत्रमेव हि ॥ ३ ॥ (શ્રીમદ ભાગવત -12: 2: 3)
એટલે કે, માત્ર બાહ્ય ચામડીના મોહને કારણે, પુરુષ અને સ્ત્રી એક સાથે રહેશે, અને વેપારમાં સફળતા કપટ આધારિત રહેશે. સ્ત્રીત્વ અને પુરુષત્વનુ આંકલન સંભોગમાં વિશેષતા અનુસાર નક્કી કરવામાં આવશે, અને વૈદિક વર્ણવ્યસ્થાથી વિપરીત, માત્ર એક દોરો (જનેઉ) પહેરવાથી માણસ બ્રાહ્મણ તરીકે ઓળખાશે.
* क्षीयमाणेषु देहेषु देहिनां कलिदोषत: ।
वर्णाश्रमवतां धर्मे नष्टे वेदपथे नृणाम् ॥ 12
शूद्रप्रायेषु वर्णेषुच्छागप्रायासु धेनुषु ।
गृहप्रायेष्वाश्रमेषु यौनप्रायेषु बन्धुषु ॥ 14 ॥ (श्रीमद भागवतम -12:2:12-14)
*કળિયુગના દૂષણને કારણે, તમામ જીવોના શરીર ટૂંકા થઈ જશે, જ્યારે તેમના ધાર્મિક સિદ્ધાંતો વેદ- માર્ગ નાશ પામશે. વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા નાશ પામશે. તમામ વર્ણોના લોકો વેદ-હીન થઈ શુદ્ર જેવા જીવન જીવતા થઈ જશે. આશ્રમવાળા ગૃહસ્થી જેવાં થશે.વૈવાહિક સંબંધ વાળાં સાથે જ સંબંધ રહેશે. ( સાસરી નો સંબંધ જ રહેશે)
એટલે કે જેવો શુકદેવજી ને સંદેહ હતો તેવું જ આજ બની રહ્યું છે.
🌺હરે કૃષ્ણ🌺
સ્રોત :- હરીમૌર્યની હીન્દી પોસ્ટમાં થી ગુજરાતી ભાવાનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો