ITIHAAS NA AMARBINDU

કચ્છમાં વરસાદ -વલસાડ જીલ્લા માં વાવાઝોડા સાથે વરસાદ-વડોદરામા વરસાદ, સુરેન્દ્રનગર માં વરસાદ *   Sun Jun 22 2025 00:29:24 GMT+0000 (Coordinated Universal Time)

શુક્રવાર, 27 ઑગસ્ટ, 2021

રંણબંકા રાઠોડ

  •  


ફોટો - પ્રતિકાત્મક

રંણબંકા રાઠોડ રાવ રણમલજી

  • ડરદેશ પ્રથમ સત્યુગમાં "ઇલ્વદુર્ગ" ને નામે ળખાતો હતો. અને દ્વાપર યુગમાં ઠેકાણે ઐલવન અને વાતાપિ રાક્ષસોનુ રહેઠાહતુ.  રાક્ષસોનો અગસ્ત ઋષિએ નાશ કર્યો હતો ત્યાર પછી દેશ ઘણા કાળ સુધી ઉજ્જડ રહ્યો હતો.
  •     કળીયુગ ના ૨૩૨૨ વર્ષ ગયા બાદ અને ઇસ્વીસન પૂર્વે ૨૭૪૨ વર્ષ ઉપર મહાભારત ના અને જ્યારે મહારાજા યુધિષ્ઠિર હસ્તિનાપુર ની ગાદી ઉપર હતા ત્યારે આ ઇલ્વદુર્ગ ની ગાદી ઉપર વેણીવચ્છરાજ નામે રાજા રાજ્ય કરતા હતા એટલું ભવિષ્યોત્તર પુરાણ ના નીચેના શ્લોક ઉપરથી જણાય છે.
  • श्री ईल्व दुर्गे नृप वेणीवच्छ:।बभूव भूपाल मणी समेव।। रहीज भूमौ मधवावतार, गतेति कली द्रि भूज अज्ञिनेत्र ।
  • એ પછી અનુક્રમે સિસોદિયા, પઢિયાર વંશ અને એ પછી હાથીસોડ ના હાથમાં  સત્તા આવી.  હાથીસોડનો પુત્ર શામળીયો સોડ.
  • મારવાડમાં તે સમય રાઠોડ વંશ ની મોટી સત્તા સ્થપાઈ હતી. ત્યાંથી બે રાઠોડ રાજપુત્રો ગુજરાત કાઠીયાવાડ માં સાહસ ખેડવા નીકળી પડ્યા; અને તેમાંના એક રાવ સોનંગજી અણહિલપુરપાટણ આવ્યા જ્યારે અજાજી કાઠીયાવાડ પૈકી ઓખામંડળ માં ગાદી સ્થાપી.તે સમયમાં પાટણની ગાદીએ મહારાજા ભીમદેવ સોલંકી હતાં. ઇડરરાજ્યના તિહાસ મુજબ મહારાભીમદેવ સોલંકીએ  સોનંગજીને કડી પ્રાંતના સોમેત્રા ગામ આપી ત્યાંના સરદાર બનાવ્યા. ઇડરમાં  સામળીયાસોડની  સત્તા હતી. આ સમયે રાજ્યમાં મારામારી તથા લુંટફાટ થવા લાગી અને રાજ્યમાં ભારે અંધાધુંધી ફેલાએલી હતી . તેના ત્રાસમાંથી ઇડરને મુક્ત કરાવવા  ઇડરના કારભારી ગોવિંદરામ નાગર,  રાવ સોનંગજી પાસે મદદ માંગી. રાવ સોનંગજી એ ઇડરના સામળીયા સોડ ને હરાવ્યો. અને ત્યાં રાઠોડવંશ ની ગાદી સં.૧૩૦૨ મા સ્થાપી.(सोनगजी, सो इडर गढरा बीरामण पुकारु आया ने कयो मारी बेटी भील मांगे छे, जिणरि सहाय राज करोसो उणारि सहाय सोनगजी चढियासो उणांरि सहाकरी-- राठोर रि ख्यात, राजस्था)     રાઠોડ રાવ સોનંગજી પછી રાવ અભેમલજી તેમના પછી સં.૧૩૪૨ માં  રાવ ધવલમલજી તેમના પછી રાવ લુણકરણજી તેમના રાવ કહેરનજી અને તેમનાં પછી  રાવ રણમલજી ગાદીએ આવ્યા. રાવ રણમલજી ઘણા બહાદુર યોધ્ધા હતાં. એમણે ઇડર રાજયની સીમા વિસ્તારી અને ઇડરગઢની કિર્તી અમર કરી. તેમણે તે વખતે ઘણાં પ્રદેશોમાં પોતાની સત્તા સ્થાપી હતી. ડુંગર ઉપર ચોકી બનાવી જે રણમલ ચોકી ના નામથી ઓળખાય છે. તેમજ ઇડરની નજીક રણમલેશ્વર નામનું તળાવ બંધાવ્યું.  રાવ રણમલજી પાસે નવ લાખની કિંમતનો ઘોડો હતો કે એક રાતમાં બસો ગાઉ ની મુસાફરી કરી શકતો હતો તેમ કહેવાય છે. તેમણે અમુક પ્રદેશો પોતાના સરદારોને પણ આપ્યાં હતાં. ઘણાં સરદારોને તેમણે પોતાને ત્યાં રાખ્યાં હતાં. રાઠોડ રાવ રણમલજીના દરબારમાં અગિયાર શૂરા (પટાવતો)સરદારો હતાં તે બધાં રણમલ કહેવાતા હતા. એ રણખેલના શૂરવીરો કવિ શ્રીધરનું પ્રાચીન ગુર્જર કાવ્ય "રણમલછંદ" માં વિખ્યાત પામ્યાં છે.જ્યારે રાવ રણમલજી એ પટાવતોની ગ્રહમાળા ના સૂર્ય હતાં. "રણમલછંદ" કાવ્યમા  કવિ શ્રીધરે  રાવ રણમલજી ના વિરરસનુ  વર્ણન કર્યુ છે. એતો શાંત પ્રકૃતિના માણસના ય રૂંવાડા બેઠાં કરી દે ને હ્રદય હલબલાવી નાખે.  
  • कडक्कि मूंछ मींछ मेंछ मल मोलि मुग्गरि;
  • चमक्कि चल्लि रण्णमल्ल मल्ल फेरि संमरि धमक्कि धार छोडि धान छण्डि धाडि-धग्गडा
  • पडक्कि वाटि पक्कडन्त मारि मीर मक्कडा
  • धडहडतउ धडि कमधज्ज धरातलि धसि धगडायण धूंस धरइ,
  • ईडरवइ पण्डर वेस सरिसु रणि रामायण रणमल करइ ।
  • रोमच्चिय रणरसि, राढि डरावण, रहि रहि बल बोल्लन्त वलि, 
  • पक्खर वर पुट्टि पवगम पट्ठिय, पुहुतउ वह पतसाहदलि ।
  • असि मारवि रुम्ब रणायरि रगडिय भज्जइ धगड महा भड्या,
  • रणमल रणंगणि मोलि मिलन्ता मेच्छायण मूंगल भिडिया ।
  • प्रल्लय करि लसकरि लोहि छवच्छव छण्ट करइ छत्तीस छलि ,
  • रणमल्ल रणंगणि राउत विल्सइ  रवितलि खितिय रोसवलि ।(રણમલછંદ- કવિ શ્રી ધર 
  • રાવ રણમલજી ના સમયમાં પાટણનો સૂબો ઝફ્ફરખાન હતો. ઇ.સ.૧૩૯૧ માં દિલ્હી ના બાદશાહ મહંમદ તઘલખ બીજા એ ઝફ્ફરખાન ને પાટણનો સૂબો નીમ્યો હતો. ઝફ્ફરખાન ને તમામ હીન્દુ રાજા-રાણોઓને હરાવી તેમની પાસેથી ખંડણી ઉઘરાવવા ની ઇચ્છાથી પોતાના અમલના ત્રીજા જ વર્ષે તેણે ઇડર ઉપર ચડાઈ કરી. પણ રાવ રણમલજી ના સૈન્યે રાજધાની ઇડર પહોંચ્યા પહેલાં જ કારમી હાર આપી. ઝફ્ફરખાન ને પાછું ભાગવું પડ્યું. પાંચ વર્ષ પછી ઝફ્ફરખાને ઇડર ઉપર ફરી ચડાઈ કરી. એ વખતે ઇડરને ઘેરો ઘાલ્યો. પણ એક બાજુ રાવ રણમલજી નો વળતો પ્રહાર અને બીજી બાજુ દીલ્હી ઉપર તાતારી તૈમુર એકાએક દાવાનળની પેઠે આવી દીલ્હી બાળી, લૂંટી પાછો વળી ગયો હતો. દીલ્હી નો બાદશાહ  પાણીપતના મેદાનમાંથી હાર પામી નાસી ગયો હતો એટલે  દીલ્હી નું તખ્ત ખાલી હતું ,  રાવ રણમલજી સામે ટકી શકાય તેમ ન હોવાથી તેમજ દીલ્હી તખ્ત ખાલી હોવાથી આ તકનો લાભ લેવા માટે રાવ રણમલજી સાથે સૂલેહ કરી પાટણ પાછું ફરવું પડ્યું.
  •   દીલ્હી સલ્તનત થી સ્વતંત્ર થઇ સુલતાન મુઝફ્ફર શાહના નામથી ગુજરાત નો સૂબો  સુલતાન બન્યો. તેણે ઇ.સ.૧૪૦૧ માં ત્રીજી વાર અજીત એવા ઈડરીયા ગઢ ઉપર આક્રમણ કરી કેટલોક પ્રદેશ  આ કબજે કર્યો ને ત્યાં પોતાનું થાણું મુક્યું.  તે વખતે રાવ રણમલજી વિસનગરમાં હતાં. રાવ રણમલજીને ખબર મળતાં જ તેઓ ઇડર આવી મુઝફ્ફર ના મુકેલા થાણા ને હાંકી કાઢ્યું અને પ્રદેશ કબજે કર્યો. આમ ઇડર ઉપર સૂબાઓ એ સં.૧૪૪૯,સં.૧૪૫૪ અને સં.૧૪૫૭ માં એમ ત્રણ ત્રણ ચડાઇઓ કરી છતાં અજેય એવા ઇડરના રાઠોડ રાવ રણમલજી એ તેમને સખત હાર આપી નસાડી મૂક્યાં.
  •  રાવ રણમલજી એ સં.૧૪૦૨ થી સં.૧૪૬૦ સુધી ૫૮ વર્ષ રાજ્ય કર્યું.
  •   ફારસી ઇતિહાસકારો તૈમુર ની ચડાઈને લીધે ખાલી પડેલા દીલ્હીના બાદશાહી તખ્ત
  •   માટેની તાતારખાનની લાલસા ના કારણે તાતારખાન નો પિતા ઝફ્ફરખાન હાર્યો એવુ હારનું કારણ ધરે છે જ્યારે ગુજરાતી કવિ તેને રાણા રાવ રણમલજી ના પ્રતિકાથી હારી ને નાસી છૂટયો એમ વર્ણન કરે છે.
"રણમલછંદ" કાવ્યની શરૂઆતમાં કવિ શ્રીધર કહે છે કે મુસલમાની લશ્કરની ખુવારી કરનાર  બે , એક તાતારી લૂંટારો તૈમુર અને બીજા મહાશુરવિર રંણબંકા રાઠોડ રાવ રણમલજી. કવિ શ્રીધર રાવ રણમલજી ના સમકાલીન જ્યારે ફારસી ઇતિહાસકારો ની નોંધ પછીની છે ,આમ સમકાલીન કવિએ કરેલી રચના વધારે વિશ્વસનીય ગણાય. ઝફ્ફરખાન ને ઘેરો ઉઠાવી પાટણ ભાગી જાવું પડ્યું અને રાવ રણમલજી ની જીત થઇ. ત્રણ ત્રણ ચડાઈ કરી છતાં ત્રણેેય વાર હરાવી રાવ રણમલજી અજેય રહ્યા એટલે જ  ગજરાતી કહેવત પ્રમાણે  : મુશ્કેલ કામ  પુરૂ થાય ત્યારે કહેવાય છે કે અમે ઇડરીયોગઢ જીત્યાં.
  •    નોંધ- આ પોસ્ટ " ઈડર રાજ્ય નો સંક્ષિપ્ત ઇતિહાસ" ના આધારે આપી છે.


ટિપ્પણીઓ નથી:

  महिलाओं के लिए मैरून टाफेटा सिल्क लहंगा चोली मूल्य ₹400 महिलाओं के लिए मैरून टाफेटा सिल्क लहंगा चोली  Color:  लाल रंग  Fabric:  तफ़ता सिल्...