સનાતન ધર્મમાં સમયે સમયે એવા મહાપુરુષો થયા જેમણે ધર્મનું ઉત્થાન કર્યું, જે અલગ-અલગ વર્ણના હતાં, આ એટલે શક્ય બન્યું કારણ કે સનાતન ધર્મ હંમેશા ગુણ-કર્મપ્રધાન ધર્મ રહ્યો છે, જેમાં વ્યક્તિના ગુણો મહત્વપૂર્ણ છે , કુળ નહીં. તેને આપણે ઉદાહરણ થી સમજીએ.
મહર્ષિ એત્રેય મહિદાસ : પરંપરા અનુસાર, તેમની માતા 'ઇત્રા' નામની દાસી હતી. આ ઋષિને ઐતરેય બ્રાહ્મણના સંકલનનો શ્રેય આપવામાં આવે છે.
ઋષિકા લોપામુદ્રા: વિદર્ભની ક્ષત્રિય રાજકુમારી હતી, જેમણે મહર્ષિ અગસ્ત્ય સાથે લગ્ન કર્યા હતા. તેઓ ઋગ્વેદના કેટલાક શ્લોકોના દ્રષ્ટા છે. તેમની અને મહર્ષિ અગસ્ત્ય વચ્ચેની ઘણી ચર્ચાઓ અને સંવાદો પુરાણોમાં નોંધાયેલા છે.
મહર્ષિ વિશ્વામિત્ર: આ 'વિશ્વરથ' નામના ક્ષત્રિય હતા. તેમને 'ગાયત્રી મંત્ર' ના ઉત્તમ રહસ્યને પ્રકટ કરવાનુ અને જાણવાં નો શ્રેય આપવામાં આવે છે. મહર્ષિ વિશ્વામિત્રને તેમના આધ્યાત્મિક જ્ઞાનને કારણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું હતું.
મહર્ષિ વેદ વ્યાસ: આ પરાશર ઋષિ અને સત્યવતી નામના માછીમાર-સ્ત્રીના પુત્ર હતાં. તેમનો જન્મદિવસ 'ગુરુ-પૂર્ણિમા' તરીકે ઉજવવામાં આવે છે. તેમને મહાભારત અને અન્ય ઘણા સનાતન ગ્રંથોના સંકલનનો શ્રેય આપવામાં આવે છે.
મહર્ષિ માતંગ: તે શૂદ્ર માતા અને વૈશ્ય પિતાના પુત્ર હતાં. હકીકતમાં, ચાંડાલોને ઘણીવાર 'માતંગા' તરીકે સંબોધવામાં આવતા જેમ કે (વરાહ પુરાણ 1.139.91).
મહર્ષિ વાલ્મીકિ: આ ઋષિઓના વંશજ હતા પણ ચાંડાલ બન્યા (સામાજિક બહિષ્કાર કર્યો હતો) તેમનુ નામ રત્નાકર રાખવામાં આવ્યું, કારણ કે તેઓ લૂંટ-ફાટ કરતા હતા. પ્રજાપતિ બ્રહ્મા દ્વારા તેઓને સતમાર્ગે વાળવામાં આવ્યાં હતાં અને દૈવી ઋષિ નારદથી પ્રેરિત થઈને તેમણે હિન્દુ મહાકાવ્ય સર્વોત્કૃષ્ટ - રામાયણની રચના કરી હતી.
ઋષિકા સુલભા મૈત્રેયી: તે એક ક્ષત્રિય વર્ણની મહિલા હતી જેણે ઋગ્વેદની એક શાખા સૌલભાને પ્રખ્યાપિત કરી હતી. તેમની ગણના ઋગ્વેદના શ્રેષ્ઠ આચાર્યો માં થાય છે જેમને કૌશિકી બ્રાહ્મણ જેવા ગ્રંથોમાં આદર આપવામાં આવ્યો છે. સૌલભા બ્રાહ્મણ હવે મળતો નથી પરંતુ તેનુ નામ કાશીકામાં ઉલ્લેખિત છે. વિદેહના રાજા જનક સાથે આધ્યાત્મિકતા પર ઋષિકા સુલ્ભાનો સંવાદ મહાભારતના શાંતિ પર્વમાં નોંધાયેલો છે.
ભક્ત નમલવર: આલવર વૈષ્ણવ સંતોમાં સૌથી મુખ્ય છે, તે શૂદ્ર માતા-પિતાના પુત્ર હતાં. તેમનો જન્મ ઇ.પૂ.3059 માં અલવાર થિરુના ગીરી (કુરુગુર) માં થયો હતો. નમલવરને બાર અલવરોની શ્રેણીમાં પાંચમા ગણવામાં આવે છે. તેમને વૈષ્ણવ પરંપરાના મહાન રહસ્યવાદી માનવામાં આવે છે. તેમને બાર અલવરમાં સૌથી મહાન પણ માનવામાં આવે છે અને નલયિર દિવ્ય પ્રબંધમાં તેમનું યોગદાન 4000 શ્લોકોમાંથી 1352 શ્લોકો માં છે. નમલવરે ચાર ગ્રંથોની રચના કરી છે. તેઓ નીચે મુજબ છે -
તિરુવિરુત્તમ (ઋગ્વેદ સમાન)
તિરુવાસિરિયમ (યજુર વેદ સમાન)
પેરિય તિરુવંદાદી (અથર્વવેદ સમાન)
તિરુવાય્મોળી (સામ વેદ સમાન)
તેમને "વેદમ તમિલ સેય્દ મારન" નામથી પણ સંબોધવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે તમિલ પ્રબંધમાં સંસ્કૃત વેદનો અર્થ મારન છે. અન્ય અલવર્સના પ્રભાબંધોને વેદના ભાગો (જેમ કે શિક્ષણ, વ્યાકરણ, વગેરે) અને તિરુવૈમોલીને 4000 દિવ્ય પશુરોનો સાર-સંગ્રહ માનવામાં આવે છે.
નરસી મહેતા: તેમનો જન્મ 15 મી સદીમાં ગુજરાતના પ્રખ્યાત વૈષ્ણવ સંત નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે અનેક પદોની રચના કરી.ગુજરાતમા તો લોકો ની માન્યતાઓ છે કે નરસિંહ મહેતા ના ભગવાને કામ કર્યાં એવાં ભક્ત સંપ્રદાય માં બીજા ના એટલાં કામ કર્યાં હોય એવું જાણવા માં નથી. તેમની એક રચના "વૈષ્ણવ જન" હતી. ગુજરાત માં તો કહેવત છે કે નરસિંહ મહેતાની કડતાલ, સ્વામિ નારાયણ ભગવાનનું વડતાલ અને ગાંધીજી ની હડતાલ !!!
સંત રવિદાસ: તેઓ દલિત હતાં. તેમણે ભક્તિ આંદોલનને આગળ ધપાવ્યું, તેમની 16 રચનાઓ આદિ ગ્રંથ - શીખ ધર્મગ્રંથમાં સમાવવામાં આવી હતી.
સંત મીરા: આ મેવાડની રાજપૂત ક્ષત્રિય રાજકુમારી હતી અને તેણે પોતાનું જીવન ભગવાન કૃષ્ણની સેવામાં સમર્પિત કર્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણને સંબોધિત તેમની સુંદર કાવ્ય રચનાઓ આજ સુધી હિન્દુઓ દ્વારા ખૂબ જ ઉત્સાહથી ગવાય છે. તેમણે વૈષ્ણવ ધર્મનો પ્રચાર કર્યો.
સ્વામી વિવેકાનંદ: આધુનિક હિન્દુ ધર્મના અગ્રણી સુધારકોમાંના એક, તેઓ બંગાળના કાયસ્થ પેટા-જાતિના હતા. તેમણે વેદાંતનો સંદેશ અમેરિકા અને યુરોપ સુધી ફેલાવ્યો અને તેમના લખાણો અને ભાષણો "ધ કલેક્ટેડ રાઇટીગ ઓફ સ્વામી વિવેકાનંદ " માં સમાવિષ્ટ છે. તેમણે રામકૃષ્ણ મિશન- એક ધાર્મિક સંસ્થાની સ્થાપના કરી અને તેમના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોનો પ્રચાર-પ્રસાર કર્યો. વિવેકાનંદે તેમના ધાર્મિક સંગઠન રામકૃષ્ણ મિશન દ્વારા ધર્માતરીત થયેલા લોકોનુ ઘરવાપસી કરવાનું કામ કર્યું.
સંત ચોખામેળા: આ એક મહાર જાતિ ના જે મરાઠી ભક્તિ ચળવળમાં 14 મી સદીની પ્રમુખ વ્યક્તિ હતાં . તેઓ સંત નામદેવના શિષ્ય હતા, અને ભગવાન વિઠ્ઠલના પ્રખર ભક્ત હતા. તેમણે ઘણા વિખ્યાત અભંગ લખ્યા જે ભગવાન વિઠ્ઠલ (કૃષ્ણ) ને સમર્પિત ભક્તિ કવિતાઓ છે.
સંત ગુરુ ઘાસી દાસ: તેનો જન્મ છત્તીસગઢના રાયપુર (1756-1850) માં પછાત જાતિના પરિવારમાં થયો હતો. દલિત સંત ગુરૂ ઘાસી દાસે હિન્દુ ધર્મના સતનામી સંપ્રદાયનો લોકોમાં પ્રચાર કર્યો અને છત્તીસગઢ માં સતનામી સંપ્રદાયની સ્થાપના કરી તેમણે હિન્દુ ધર્મનો ત્યાગ કરી અન્ય ધર્મો અપનાવેલા આદિવાસી હિન્દુઓને ઘર વાપસી કરાવી. તેમના કાર્યના ફળ સ્વરૂપથી રાજ્યમાં ઘણા દલિત અને બહિષ્કૃત સમુદાયોના સામાજિક અને ધાર્મિક ઉત્થાન થયું.
સંત બલરામ હાદી: 18 મી સદીમાં જન્મેલા બલરામ હાદીએ બંગાળના નાદિયા ક્ષેત્રમાં બલ્હાડી/બલરામી સંપ્રદાયની સ્થાપના કરી હતી. હાદી પછાત જાતિના હતા. તેમના જ્ઞાનને કારણે લોકોએ તેમને રામના અવતાર તરીકે માનતાં. તેમણે જે ધર્મનો ઉપદેશ આપ્યો તે ગૃહસ્થો માટે હતો અને હાદી, ડોમ, બગડી, મુચી, બેડે જેવી નીચલી પછાત જાતિઓ તેમનાં અનુયાયીઓ હતા અને મુસ્લિમોમાં પણ ખ્યાતિ મેળવી હતી અને ત્યાંના મુસ્લિમો પણ તેમના અનુયાયીઓ બન્યા હતા. તેમણે જાતિવાદનો વિરોધ કર્યો અને મુક્તિ મેળવવા માટે ભક્તિ અને તપસ્વીના માર્ગની હિમાયત કરી.
- હરીમૌર્યની હીન્દી પોસ્ટ માંથી સાભાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો