ITIHAAS NA AMARBINDU

કચ્છમાં વરસાદ -વલસાડ જીલ્લા માં વાવાઝોડા સાથે વરસાદ-વડોદરામા વરસાદ, સુરેન્દ્રનગર માં વરસાદ *  

ગુરુવાર, 19 ઑગસ્ટ, 2021

જેઠવા રાજવંશ અને ઘૂમલી

 


 ફોટો સૌજન્ય - borvav gir Facebook page

પાંડવો એ મહાભારત યુધ્ધમાં કૌરવને મારી અશ્વમેઘ યજ્ઞ કર્યો. અશ્વમેઘ યજ્ઞ પહેલાં ઘોડો દેશમાં ફરવાને મૂકયો.ને તેની પાછળ સેના લઈ અર્જુન તથા કૃષ્ણ ચાલ્યા. એ વખતે મયૂરધ્વજે પણ પોતાનો યજ્ઞ નો ઘોડો છોડેલો. ને પાછળ સેના સાથે પોતાના પુત્ર તામ્રધ્વજને રાખેલો. બંને ઘોડા સામસામે થયાં. ને મંડાણુ યુધ્ધ. તામ્રધ્વજ જીત્યો. ને પાંડવો ના ઘોડાને લઇ ચાલ્યો ગયો. હવે શું કરવું ? અર્જુન મુંઝાયો.

  મયુરધ્વજ ભારે દાનવીર રાજા હતા.

તેની કસોટી કરવા કૃષ્ણે બ્રાહ્મણ નો ને અર્જુને બ્રાહ્મણ પુત્ર નો વેશ લીધો. ગયા મયુરધ્વજ પાસે ને તેનું અર્ધુ અંગ માગ્યું. ઘણું ખુશીથી રાજાએ પોતાનું શરીર વેરાવી આપવા માંડ્યું. તે વખતે તેની ડાબી આંખમાંથી આંસુનું એક ટીપું ખર્યુ. બ્રાહ્મણે કહ્યું:- "રાજા, તું કચવાતા મને દાન આપે છે, તેથી તને આંસુ આવે છે. તો દાન આપવું રહેવા દે". રાજાએ કહ્યું:- નહીં મહારાજ ! મારું જમણું અંગ તો દાન માં વપરાણુ, પણ ડાબું અંગ નકામું જવાનું છે માટે ડાબી આંખ રડે છે."

  આવા વેણ સાંભળીને ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા પોતાનું રૂપ પ્રગટ કર્યું. ને રાજા ઉપર પ્રસન્ન થયા. પ્રભુ ના દર્શન થતાં ધન્ય જીવતર માની રાજા એ યજ્ઞ પુરો કર્યો. ને પોતે પાંડવોના યજ્ઞમાં ગયા. ધન્ય છે આવા દાતારને !

   ત્યાર પછી કેટલાક વખતે આ વંશના રાજાઓ "કુમાર" અટકથી ઓળખાવા લાગ્યા. જેમાં છઠ્ઠા "કુમાર" અટકવાળા શીલકુમાર થયાં.

   જે વખતે સૌરાષ્ટ્ર માં આવેલ શ્રીનગરની ગાદીએ રાજા શીલકુમાર તે વખતે દિલ્હીની ગાદીએ અનંગપાળ પણ અનંગપાળ ને શત્રુઓ ભારે કનડે.તેથી શીલકુમારે મદદ કરી અનંગપાળના શત્રુઓ ને હરાવ્યા. આથી અનંગપાળે પોતાની પુત્રી શીલકુમારને પરણાવી. સાથે પહેરામણી પણ ઘણી આપી.

  ફરતા ફરતા એકવાર શીલકુમાર બરડા ડુંગરમાં આવ્યાં. બરડા ડુંગરની સુંદરતા જોય, લીલીછમ હરિયાળી વનરાઇ, થોડે દૂર ઉછળા મારતો ને ગડગડાટ કરતો દરિયો જોયો. એથી ત્યાં કિલ્લો બંધાવવાનુ મન થયું. કામ ચાલુ કરાવ્યું. ને સુંદર કિલ્લો ને રૂપાળું શહેર બંધાવ્યું. એજ રમણીય શહેર ઇતિહાસ પ્રસિદ્ધ ઘુમલી.

   આ વખતે આ રાજ્ય બહુંજ આબાદ હતું. ને એની હદમાં જ નાગણા, મોરબી ને ઢાંક વગેરે આવતાં હતાં.

   શીલકુમાર પછી કેટલાક"કુમાર", "રાજન" ને "મહારાજ" ની અટકવાળા રાજાઓ થયાં. 'જેઠુજી' મહારાજ ના નામ પરથી "જેઠવા" અટક થઇ.

  આ રાજવંશની કુળદેવી માતા વિંધ્યવાસિની(હરસિદ્ધિ માતાજી) હતાં. સંઘજી જેઠવા માતાજી ના પરમ ભક્ત હતા. માતાજી નું ધ્યાન ધરતાં ધરતાં એક રાત્રે સૂતા હતાં.માતાજીએ સ્વપ્નમાં આવી ને કીધું "રાજા ઉઠ. તારૂં મોરબી જીતવા ચાલીશ હજાર નું લશ્કર લઇને  પાટણનો રાજા ચડી આવે છે".

   બસ, રાજાની ઉંઘ ઉડી ગઇ. લડાઇના વાજાં વગડાવ્યા. પોતે ને પોતાનો નાનો ભાઈ લશ્કર લઇને શત્રુ સામે ધસ્યા. ધાંગધ્રા પાસે "થળા" ગામ છે, ત્યાં શત્રુ સાથે ભેટો થયો. જેમ ખેડુત ઘાસ કાપે તેમ જેઠવા લશ્કર શત્રુ સેનાને કાપવા લાગ્યું. શત્રુ હાર્યો એટલે તેણે પોતાની પુત્રી રાણા સંઘજી ને પરણાવી ને પોતાનો "રાણાનો" ખિતાબ પણ જેઠવા રાજાને ભેટ કર્યો. ત્યારથી આ વંશના રાજાઓ"રાણાઓ" કહેવાવા લાગ્યા. 

   રાણા સંઘજી ની ત્રીજી પેઢી એ પ્રસિદ્ધ રાજા રાણા હલામણ થયાં.

 ગાદી વારસ હાલાજી (ભલામણ) નાની ઉંમરના હતા, તેથી તેમનું રાજ્ય તેમના કાકા શીઆજી ચલાવતાં.પણ રાજ્ય સત્તા એ ભારે મોહ પમાડનાર વસ્તુ છે. ભલા માણસ ની બુધ્ધિ ને પણ ભમાવી નાખે છે, ને સારા નઠારા નું ભાન ભૂલાવે છે !

   રાજ્ય સત્તા નો સ્વાદ ચાખતા શીઆજીમાં રાજ્ય લોભ પેઠો. ને વિના કારણે હાલામણને દેશવટો દીધો. માતા કૈકેયી ની આજ્ઞા માથે ચડાવી ને જેમ રામચંદ્ર ભગવાન વનવાસ ગયા તેમ કાકાની આજ્ઞા માથે ચડાવી ગાદી વારસ ઉદાર કુમાર હાલાજી દેશવટે નીકળ્યાં.

  રાજકુમાર હાલામણના રાણીનું નામ સોન હતું. એ જોડલુ જેવું પવિત્ર,પ્રેમાળ અને સદગુણી હતું, તેવું કાવ્યકળામા પણ કુશળ હતું. પોતાના સ્વામિ દેશવટે સિધાવતા સોન રાણીને ઘણું દુઃખ થયું. પણ તેમણે ધીરજ રાખી વેઠ્યું.

   તડકા છાંયા ની જેમ સુખદુઃખ ના પણ વારા હોય છે. જેમ તડકો હોય 

ત્યાં ઘડીમાં છાંયો, ને જ્યાં છાંયો હોય ત્યાં ઘડીમાં તડકો આવે છે, તેમ દુઃખ પાછળ સુખ અને સુખ પાછળ દુઃખ આવે છે.

  કેટલાક વર્ષે શીયોજી ગુજરી ગયા. એટલે રાણા હાલોજી આવી પોતાની વ્હાલી રાજધાની ઘુમલી ની ગાદીએ બેઠા ને રાણી સાથે સાથે રહી ઘણાં વર્ષો સુધી પોતાની પ્રજાને પુત્ર પેઠે પાળી સુખ આપ્યું. આથી આ રાજારાણી નું નામ અમર રહ્યું છે. ને તેમનાં નામના દુહા સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ મા ગવાતા. તેમનાં ઉપર થી ગુજરાતી ફિલ્મ પણ બની છે. સોન રાણી અને રાજવી હલામણના દુહા એ પ્રાચીન ગુજરાતી સાહિત્યનો ખજાનો છે.

  રાજા હલામણ ની પછી ત્રીજી પેઢીએ રાણા મેહજી થયાં. રાણા મેહજી પવિત્રતા અને ટેક માટે ઇતિહાસમાં અમર છે. તેમનાં પણ ઘણા દુહા રચાયેલા છે. જે મેહ-ઉજળીના સંવાદ ના દુહા તરીકે રચાયા છે.                             *કણ દાણો કોય ,કહે તો દઉ ગાડા ભરી

તારે હૈયે લાલચ હોય,તો માંગને આવી ઉજળી.

*ચારણ એટલા દેવ, તને જોગમાયા કરી જાણીએ, લોહીના ખપ્પર ખપે તો બૂડે બરડાનો ધણી.

  રાણા મેહજી પછી ચોથી પેઢીએ રાણા નાગાર્જુન થયા. તેમનાં સમયમાં શાલિવાહને ચડાઈ કરી એવું તેમનાં રજવાડા ના ઇતિહાસ માં કહે છે  , એ સમયે પ્રેહ પાટણ એક સુંદર મોટું શહેર હતું  તેના ઉપર ચડાઈ થઇ હશે , જેમાં નાગાર્જુન ઘણી વિરતાથી લડ્યા. એક એવી કિંવદંતી છે કે નાગાર્જુન ઘણી બહાદુરી થી લડ્યા, ને છેલ્લે શિર કપાયા પછી પણ ધડ લડ્યુ. 

 આ લડાઇમાં પ્રેહ પાટણ નો નાશ થયો.

 ઢાંક પાસે તે વિરનુ શિર પડેલું હતું ત્યાં તેમની પૂજા થાય છે. ત્યાર પછી ઘુમલી નો નાશ થયો. ને જેઠવાઓની રાજધાની રાણપુર માં થઇ. 

ઘુમલી લગભગ સં.૧૩૬૯  માં પડી ભાંગ્યું. ઘુમલી ના ખંડેરો પોરબંદર નજીક બરડો ડુંગર માં ભાણવડ પાસે છે. એ ખંડેરો માં શિલ્પ કામથી શોભતું અનેક સ્તંભો વાળું 'નવલખો' શિવાલય, સોન કંસારી ના દેરા તેમજ ઘણા ખંડેરો ઘુમલીની પ્રાચીન જાહોજલાલી ની ઝાંખી કરાવે છે.(રાણા વિકિયોજી, ભાણ જેઠવા, રામદેવજી વગેરે ઘણા રાજાઓ થયાં છે પણ અહી ટૂંકમાં ઇતિહાસ આપ્યો છે)

    ** ખાસ નોંધ :-  

*  આ લેખમાં જે ઇતિહાસ આપ્યો છે તે ઇ.સ.૧૯૨૯ ના 'જેઠવા રાજવંશ ની કેટલીક વાર્તાઓ'  લે. જગજીવન કાલીદાસ પાઠક , તાલુકા સ્કૂલ માસ્તર, પોરબંદર ના પુસ્તકના આધારે આપેલ છે.

   


ટિપ્પણીઓ નથી:

  महिलाओं के लिए मैरून टाफेटा सिल्क लहंगा चोली मूल्य ₹400 महिलाओं के लिए मैरून टाफेटा सिल्क लहंगा चोली  Color:  लाल रंग  Fabric:  तफ़ता सिल्...